સુરત : જી.ડી. ગોએન્કા શાળા વધુ ફી વસૂલતી હોવાનો આક્ષેપ, બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરાવી વાલીઓ પહોચ્યા કલેક્ટર કચેરી

New Update
સુરત : જી.ડી. ગોએન્કા શાળા વધુ ફી વસૂલતી હોવાનો આક્ષેપ, બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરાવી વાલીઓ પહોચ્યા કલેક્ટર કચેરી

સુરતમાં શાળા સંચાલકોની મનમાની ફરી એકવાર સામે આવી છે. નિર્ધારિત ફી હોવા છતાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સ્કૂલ યુનિફોર્મમાં પોતાના બાળકોને લઈ વાલીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સુરત શહેરમાં શાળા સંચાલકોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે. શાળામાં લેવાતી ફીને લઈ અવારનવાર વાલીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે શહેરની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં પોતાના બાળકોને સ્કૂલ યુનિફોર્મમાં લઇને વાલીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા.

સુરતની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ હોવા છતાં શાળા દ્વારા વધુ ફી સ્કૂલ વસૂલ કરવામાં આવી રહી છે. ઉપરાંત એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. જો ફી નહીં ભરવામાં આવશે તો વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે તેવું શાળા સંચાલકો દ્વારા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં શાળાના વાલીઓમાં ઘણો રોષ ફાટી નીકળ્યો છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.