સુરત : ઉધના પોલીસ મથકના મહિલા PSIએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત
BY Connect Gujarat5 Dec 2020 10:53 AM GMT
X
Connect Gujarat5 Dec 2020 10:53 AM GMT
સુરત શહેરના ઉધના પોલીસ મથકના મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને આપઘાત કરી લીધો છે, ત્યારે મહિલા પીએસઆઈના આપઘાતના પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અનિતા જોશીએ આપઘાત કરી લીધો છે. તેઓ ઈન્વેસ્ટીગેશન ચાર્માં પીએસઆઈ તરીકે ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. ફાલસાવાડી ખાતે રહેતા પરિણીત મહિલા પીએસઆઇ અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે, ત્યારે હાલ તો મૃતક મહિલા પીએસઆઈના ઘરને પોલીસે કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મહિલા પીએસઆઈએ પોતાના રહેણાંક ક્વાર્ટરમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા કારણ હજુ અંકબંધ રહેવા પામ્યું છે.
Next Story