Connect Gujarat
Featured

સુરત : આપના સાંસદ સંજયસિંહે યોજયો રોડ- શો, મતદારો સમક્ષ રજુ કર્યું ગેરંટીકાર્ડ

સુરત : આપના સાંસદ સંજયસિંહે યોજયો રોડ- શો, મતદારો સમક્ષ રજુ કર્યું ગેરંટીકાર્ડ
X

સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત આવેલ દિલ્લી આપ પાર્ટીના નેતા સંજયશિંહની આગેવાનીમાં આજ રોજ વિશાળ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું.રોડ શો અગાઉ આપ નેતા સંજયસિંહ દ્વારા પાંડેસરા સ્થિત કૈલાશ નગર ખાતે આવેલ શિવમંદિર માં પૂજા અર્ચના કરવામાં આવી હતી.


સુરતના પાંડેસરા વિસ્તારમાંથી રોડ શો ની શરૂઆત થઇ હતી.જેમાં સાંસદ સંજયસિંહ અને ગુજરાત પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા કાર્યકર્તાઓમાં એક જોશ અને જુસ્સો જોવા મળ્યો હતો. સાંસદ સંજયસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગરપાલિકાની તમામ ચૂંટણીઓ પાર્ટી તરફથી લડવામાં આવી રહી છે.ગત રોજ સુરત ખાતે યોજાયેલ જનસભા દરમ્યાન દસ મુદ્દાઓના સાથે એક ગેરેન્ટીકાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં ઘરવેરાના ટેક્સમાં આંશિક રાહત,પાણી બિલ માફ કરવું તેમજ બસ મુસાફરીના ભાડામાંથી વિધાર્થીઓને મુક્તિ આપવાના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.સુરત મહાનગરપાલિકામાં આપ પાર્ટીનું શાસન આવશે તો વેપાર - ધંધા પર લગાડવામાં આવતા તમામ ટેક્સમાંથી વેપારીઓને મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે પાસના કાર્યકરોને પણ આમ આદમીને સમર્થન આપવા અપીલ કરી હતી.

Next Story