Connect Gujarat
Featured

સુરત : સ્મશાનમાં નોકરી કરતાં યુવાનની 20 હજાર રૂપિયાની વસુલાત માટે હત્યા

સુરત : સ્મશાનમાં નોકરી કરતાં યુવાનની 20 હજાર રૂપિયાની વસુલાત માટે હત્યા
X

સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. ધનરાજ નામના ઇસમે વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી.

સુરતના અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન ગૃહ ખાતે વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ગયા હતાં. જોકે વિજયનું મોત થઇ ગયું હતું. પીએમ રિપોર્ટમાં માર મારવાથી મોત થયાનું સ્પષ્ટ થયું હતું જોકે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફાયનાન્સર ધનરાજ વેનીલાલ કહાર અને તેના માણસોએ વિજયની હત્યા કરી હતી.

ધનરાજે એપ્રિલ મહિનામાં વિજયને 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં તે રૂપિયા વિજય પરત આપતો ન હોય ધનરાજ અને તેના સાગરીતો એ વિજયને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાના પગલે વિજયનું મોત નીપજ્યું હતું. જે બાબતે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી ધનરાજ કહાર, શંકર ઉર્ફે ટેમ્પો, ભાવેશ ઉર્ફે ટકલી અને ગિરીશ ઉર્ફે ગિરિયો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story