સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી,પોલીસે અસામાજિક તત્વોને ઘરનું તાળું તોડી બહાર કાઢ્યા

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.

New Update

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું. પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો

Advertisment
સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે રિક્ષામાં આવેલા બાળકોએ પથ્થરમારો કરતા હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને 50થી વધુ તોફાની તત્વોને ઝડપી લીધા હતા.આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલામાં 
અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો પણ તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યો હતો પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢતા, હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા માણસો તો પણ તોડીને અમે બહાર કાઢીશું.
તો શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વધુ વળશે તે પહેલા પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
Advertisment
Read the Next Article

ગૌ માંસના ખરીદ-વેચાણનો પર્દાફાશ : સુરતના કઠોર ગામે ગૌવંશની કતલ કરતાં 5 ઇસમોની પોલીસે કરી ધરપકડ…

બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ગૌ માંસના ખરીદ અને વેચાણનો પોલીસે કર્યો પર્દાફાશ

  • કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ પર પોલીસના દરોડા

  • 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ઝડપાયા

  • ગૌવંશ કટીંગ કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

  • રૂ. 86થી વધુના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી

Advertisment

સુરતના કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ધરપકડ કરી હતી.

ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કતલ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર કરવામાં આવે છે. ગૌ રક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે.ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. કઠોર ગામ ખાતે આવેલ તાળી વાળમાં ગૌવંશનું માસ કટીંગ થતું હતુંત્યારે બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા.

પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખરહીશ શેખસાહિલ પઠાણરસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા હતા. જેમાં અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં આ ઇસમોને રાખીને કામ કરાવતો હતો.

Advertisment