સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી,પોલીસે અસામાજિક તત્વોને ઘરનું તાળું તોડી બહાર કાઢ્યા

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.

New Update

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું. પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો

સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે રિક્ષામાં આવેલા બાળકોએ પથ્થરમારો કરતા હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને 50થી વધુ તોફાની તત્વોને ઝડપી લીધા હતા.આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલામાં 
અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો પણ તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યો હતો પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢતા, હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા માણસો તો પણ તોડીને અમે બહાર કાઢીશું.
તો શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વધુ વળશે તે પહેલા પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
Read the Next Article

સુરત : રૂ. 1.69 લાખના અફીણ સાથે સારોલી પોલીસે એક ઈસમની ધરપકડ કરી...

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસને મળી સફળતા

  • નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી

  • રૂ. 1.69 લાખના અફીણના જથ્થા સાથે એક ઈસમ ધરપકડ

  • આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લઈ સુરત આવ્યો હતો

  • રાજસ્થાનથી અફીણ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનો કારોબાર કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છેત્યારે હવે વધુ એકવાર અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ ખાતેથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેસારામ નાઈ રાજસ્થાન ખાતેથી 565 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 1.69 લાખના જથ્થા સાથે સુરતમાં આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે જેસારામ નાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફરાજસ્થાનથી અફીણ આપનાર રમેશ રામને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.