સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી,પોલીસે અસામાજિક તત્વોને ઘરનું તાળું તોડી બહાર કાઢ્યા
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનો કારોબાર કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ એકવાર અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ ખાતેથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેસારામ નાઈ રાજસ્થાન ખાતેથી 565 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 1.69 લાખના જથ્થા સાથે સુરતમાં આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે જેસારામ નાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, રાજસ્થાનથી અફીણ આપનાર રમેશ રામને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.