Connect Gujarat
સુરત 

સુરત : ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે મોત, 2 લોકોને ઇજા...

સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

X

સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય 2 લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સુરત : ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે મોત, 2 લોકોને ઇજા...

મળતી માહિતી અનુસાર, સુરતના ઉમરપાડા નજીક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અંકલેશ્વરના યુવાનોની કારને અકસ્માત નડ્યો હતો. ગત મોડી રાત્રે ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતી વેળા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડ અને ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ નજીક રહેતા યુવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 2 યુવાનના થયેલા મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story