સુરત: 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર થઈ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની કરી ધરપકડ

હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી

New Update
સુરત: 3 વર્ષીય બાળકને લઈને અજાણી મહિલા ફરાર થઈ, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની કરી ધરપકડ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં બાળકના અપહરણ થવાની ઘટનાઓ તો સામે આવતી રહે છ ત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની હતી. સુરતની એક ગર્ભવતી મહિલા દામિની ગૌડે શુક્રવારે બાળકને જન્મ આપ્યો હતો ત્યારે દર્દી દામિની પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે દામિનીનો ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પણ માતા અને તાજા જન્મેલા બાળકને જોવા માટે આવ્યો હતો.

દરમિયાન ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પહેલા માળે આમ-તેમ ફરતો હોય એવામાં તે અચાનક જ ગાયબ થઈ ગયો હતો સગા અને માતાને જાણ થતાં અર્કની સગાઓએ શોધખોળ કરી હતી.બાળકની શોધખોળ બાદ પણ લાંબા સમય સુધી નહીં મળી આવતા આખરે સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતા લઈને વરાછા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી.પોલીસે ઘટનાને ગંભીરતા લઈ તાત્કાલિક અપહરણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી.વરાછા પોલીસ સીસીટી ફૂટેજના આધારે અપહરણ કરનાર મહિલાના ઘર સુધી પહોંચી હતી.

ઘરમાં બાળક મહિલા અને તેના પતિ મળી આવ્યા હતા.પોલીસે વધુ તપાસ કરતા મૂળ રાજસ્થાનના વતની હાલ સુરત શહેરના પુણા ગામ ખાતે આવેલ આઈ માતા ચોક વિજય નગરમાં ખાતે રહેતા સીમાના લગ્ન 20 વર્ષ પહેલાં શંકર પ્રજાપતિ સાથે થયા હતા. 20 વર્ષના લગ્ન કાળમાં તેઓને સંતાન નહીં થતા ચિંતામાં રહેતા હતા.ગત માર્ચ મહિનામાં સીમાના પેટમાં દુખાવો થતા સીમા તેના પતિ શંકર સાથે સ્મીમેર હોસ્પિટલમાં ગયા હતા.ત્યાં હોસ્પિટલમાં દર્દીના નાના બાળકોને રમતા જોયા હતા.છેલ્લા 20 વર્ષથી સંતાન નહીં થતા હોસ્પિટલમાં માંથી બાળકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.