સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,

New Update
  • ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

  • માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા ડરના માર્યા આપઘાત કર્યો

  • વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • પોલીસને વિદ્યાર્થીનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી

  • પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,જેના કારણે સંવેદનશીલ પુત્રીએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી દેતા સનસનાટી મચી ગઈ હતી.

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા ઘુઘલ પરિવારની ધોરણ 7માં અભ્યાસ કરતી આશરે 11 વર્ષીય ઝેનીશા રવિવારે તેના ઘરે ભાઈ બહેન સાથે હતી,અને તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા,જ્યારે તેના પિતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને મુંબઇ જ રહે છે.માતાની ગેરહાજરીમાં  ઝેનીશા માતાનો મોબાઈલ લઈને રમતી હતી,અને મોબાઈલ અચાનક પાણીમાં પડી ગયો હતો,જેના કારણે ઝેનીશા ડરી ગઈ હતી,અને અંતિમ ચિઠ્ઠી લખીને તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઝેનીશાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અને તેણીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પણ કબજે લઈને તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું...

New Update
  • શહેરના પાલ વિસ્તારમાંથી સામે છે આવી ચોંકાવનારી ઘટના

  • પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું

  • હોસ્પિટલ નજીકથી 25 શખસ ખેંચી ગયા, CCTV સામે આવ્યા

  • 7 લોકોની ધરપકડરિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો

  • યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવત બની અપહરણનું કારણ 

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું. CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 10 જૂન-2025ના રોજ સવારે આશરે 11:30 કલાકે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણીજે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છેતેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકેસામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કેઆ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીનેશારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબતેમની બહેન સુમિત્રા રાયાણીના દીકરા અનિકેત ગત 1 જૂન2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત તા. 28 મે-2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાઅને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા.

આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફઅપહરણ કરનાર 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેજ્યારે અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.