સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,

New Update
  • ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

  • માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા ડરના માર્યા આપઘાત કર્યો

  • વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • પોલીસને વિદ્યાર્થીનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી

  • પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

Advertisment

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,જેના કારણે સંવેદનશીલ પુત્રીએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી દેતા સનસનાટી મચી ગઈ હતી.

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા ઘુઘલ પરિવારની ધોરણ 7માં અભ્યાસ કરતી આશરે 11 વર્ષીય ઝેનીશા રવિવારે તેના ઘરે ભાઈ બહેન સાથે હતી,અને તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા,જ્યારે તેના પિતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને મુંબઇ જ રહે છે.માતાની ગેરહાજરીમાં  ઝેનીશા માતાનો મોબાઈલ લઈને રમતી હતી,અને મોબાઈલ અચાનક પાણીમાં પડી ગયો હતો,જેના કારણે ઝેનીશા ડરી ગઈ હતી,અને અંતિમ ચિઠ્ઠી લખીને તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઝેનીશાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અને તેણીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પણ કબજે લઈને તપાસ શરૂ કરી હતી.

Advertisment
Read the Next Article

સુરત : પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો, સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓને કરે છે મદદ

ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે

New Update
  • લોકો દેખાદેખીમાં લગ્નપ્રસંગમાં કરે છે મોટા ખર્ચાઓ

  • પાટીદાર સમાજની શિક્ષિત દીકરીનો ઉચ્ચ વિચાર

  • પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવી રકમ બચાવી

  • સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરે છે મદદ

  • સગા સંબંધીઓ સહિત લોકોએ લગ્નની નોંધ લીધી

Advertisment

આજકાલ લોકો દેખાદેખીમાં લગ્નમાં ભારે ખર્ચા કરતાં હોય છેત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ સાદુ જીવનઉચ્ચ વિચારને સાર્થક કરી પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સએમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસસામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તા. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યુ હતું કેહું કાઉન્સેલિંગ કામ કરુ છું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છેતેમને સમજાવે છે કેજેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છુંજે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છેત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો.

મારા પપ્પા કહેતા કેરૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મુક્યો. તેમણે પણ આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકેત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.

Advertisment