સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,

New Update
  • ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

  • માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા ડરના માર્યા આપઘાત કર્યો

  • વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • પોલીસને વિદ્યાર્થીનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી

  • પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,જેના કારણે સંવેદનશીલ પુત્રીએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી દેતા સનસનાટી મચી ગઈ હતી.

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા ઘુઘલ પરિવારની ધોરણ 7માં અભ્યાસ કરતી આશરે 11 વર્ષીય ઝેનીશા રવિવારે તેના ઘરે ભાઈ બહેન સાથે હતી,અને તેની માતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા,જ્યારે તેના પિતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને મુંબઇ જ રહે છે.માતાની ગેરહાજરીમાં  ઝેનીશા માતાનો મોબાઈલ લઈને રમતી હતી,અને મોબાઈલ અચાનક પાણીમાં પડી ગયો હતો,જેના કારણે ઝેનીશા ડરી ગઈ હતી,અને અંતિમ ચિઠ્ઠી લખીને તેને ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ઘટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું,ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઝેનીશાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.અને તેણીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પણ કબજે લઈને તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.