સુરત : ડાંગરની કાંપણીમાં ખેડૂતો જોતરાયા, સહકારી મંડળી દ્વારા ખરીદી કરવા ખેડૂત આગેવાનની રજૂઆત

New Update
સુરત : ડાંગરની કાંપણીમાં ખેડૂતો જોતરાયા, સહકારી મંડળી દ્વારા ખરીદી કરવા ખેડૂત આગેવાનની રજૂઆત

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો દ્વારા ડાંગરના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે, ત્યારે સહકારી મંડળી મારફતે ડાંગરની ખરીદી અને ખેડૂતોને સારો ભાવ મળે તે માટે ખેડૂત આગેવાન દ્વારા અન્ન પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરનો પાક તૈયાર થઇ જતાં હાલ ખેડૂતો ડાંગરની કાંપણી કરવામાં જોતરાયા છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે હાલ 40 લાખ ગુણી ડાંગરના પાકનું ઉત્પાદન થતાં ખેડૂતો દ્વારા કાપણી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે નિગમે માત્ર 20 હજાર ગુણ ખરીદી કરી હતી. જેના કારણે ખેડૂતોને રૂપિયા 70 કરોડ જેટલું નુકશાન થયું હતું. જોકે, અન્ન પુરવઠા નિગમે 20 કિલો ડાંગર 388 રૂપિયાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, ત્યારે હવે સહકારી મંડળી મારફત ડાંગરની ખરીદી કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અન્ન પુરવઠા મંત્રી નરેશ પટેલને રજૂઆત કરી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.