સુરત : શાકભાજી માર્કેટમાં રૂ.500ની નકલી નોટ વટાવવા જતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ, 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.

New Update
  • પૂણાના શાક માર્કેટમાં નકલી ચલણનો પર્દાફાશ

  • બે શખ્સો વટાવી રહ્યા હતા નકલી નોટ

  • રૂ.500ની નોટ વટાવવા જતા બે શખ્સોની SOGએ કરી ધરપકડ

  • બે આરોપીની ધરપકડ સાથે રૂ.9000ની નોટ પણ કરી જપ્ત

  • પશ્ચિમ બંગાળના શખ્સને વોન્ટેડ જાહેર કરતી પોલીસ 

Advertisment

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. અને પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતના પુણાનાં શાકભાજી માર્કેટમાં બે ભેજાબાજ શખ્સો બનાવટી રૂપિયા 500ની ચલણી નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી SOGને મળી હતી,જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને બંને શખ્સોની ધરપકડ કરી હતી,અને રૂપિયા 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત કરી હતી.આ ઘટનામાં ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે.પોલીસે કુલ રૂપિયા 1 લાખ 25 હજાર 330ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં SOG દ્વારા વિજય નરશીભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડીયાની ધરપકડ કરી છે.અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને ત્રીજા આરોપી તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા ઉર્ફે કાલીયો (રઈજુદ્દીન શેખ)ની શોધ છેજે હજુ પણ ફરાર છે. જે શુકપરા ગામજોયેનપુર ગ્રામ પંચાયતથાણા બૈશ્વનવનનગર કાલીયા ચોકજિલ્લો માલદાપશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.NIA દ્વારા તેની પર ત્રણ કેસ દાખલ કરાયા છેછતાં તે હાઈ-ક્વોલિટી નકલી ચલણનો ગોરખધંધો ચાલુ રાખતો હતો.

આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી.તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ-આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

Advertisment
Read the Next Article

સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

Advertisment

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Advertisment