સુરત : શાકભાજી માર્કેટમાં રૂ.500ની નકલી નોટ વટાવવા જતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ, 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.

New Update
  • પૂણાના શાક માર્કેટમાં નકલી ચલણનો પર્દાફાશ

  • બે શખ્સો વટાવી રહ્યા હતા નકલી નોટ

  • રૂ.500ની નોટ વટાવવા જતા બે શખ્સોનીSOGએ કરી ધરપકડ

  • બે આરોપીની ધરપકડ સાથે રૂ.9000ની નોટ પણ કરી જપ્ત

  • પશ્ચિમ બંગાળના શખ્સને વોન્ટેડ જાહેર કરતી પોલીસ 

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. અને પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતના પુણાનાં શાકભાજી માર્કેટમાં બે ભેજાબાજ શખ્સો બનાવટી રૂપિયા 500ની ચલણી નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતીSOGને મળી હતી,જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને બંને શખ્સોની ધરપકડ કરી હતી,અને રૂપિયા 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત કરી હતી.આ ઘટનામાં ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે.પોલીસે કુલ રૂપિયા 1 લાખ 25 હજાર 330ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાંSOG દ્વારા વિજય નરશીભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડીયાની ધરપકડ કરી છે.અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને ત્રીજા આરોપી તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા ઉર્ફે કાલીયો (રઈજુદ્દીન શેખ)ની શોધ છેજે હજુ પણ ફરાર છે. જે શુકપરા ગામજોયેનપુર ગ્રામ પંચાયતથાણા બૈશ્વનવનનગર કાલીયા ચોકજિલ્લો માલદાપશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.NIA દ્વારા તેની પર ત્રણ કેસ દાખલ કરાયા છેછતાં તે હાઈ-ક્વોલિટી નકલી ચલણનો ગોરખધંધો ચાલુ રાખતો હતો.

આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી.તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ-આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.