સુરતમાં સામૂહિક આપઘાતનો મામલો
શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો હતો આપઘાત
ચકચારી ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો
પત્નીનું સહકર્મીઓ સાથે અફેરનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ
પોલીસે પત્ની સહિત પરિવારજનોની પૂછપરછ કરી શરૂ
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શિક્ષકે પત્નીના આડા સંબંધથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું.
સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અલ્પેશની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી
આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અને તેના મોબાઈલ ફોનની ચેટ્સના આધારે પોલીસે આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે મૃતકના 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નજીવનમાં તણાવ ચાલી રહ્યો હતો.અને મૃતકની પત્નીનું તેના સહકર્મી સાથે જ અફેર હતું,જે અંગેની જાણ થયા બાદ બંને વચ્ચે અણબનાવ રહેતો હતો,અને ઘર કંકાસ અને ચિંતાગ્રસ્ત માહોલ વચ્ચે શિક્ષક અલ્પેશ સોલંકીએ બે પુત્રો સાથે આપઘાત કરી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે પોતાના બંને પુત્રોને સોડામાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી, અને ત્યારબાદ પોતે પણ તેનું સેવન કરી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ મૃતકની પત્ની અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પુછપરછ કરી રહી છે.