સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે વરાછા વિસ્તારના AK રોડ પરથી પસાર થઈ રહેલી એસટી. બસ અચાનક પલટી મારી ગઈ હતી. વાપી ડેપોથી દાહોદ તરફ જતી મુસાફરોથી ભરેલી એસટી. બસ પલટી મારી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઇજા પહોચતા 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, એસટી. બસ પલટી મારી જવાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એસટી. બસનો ચાલક બસને ફૂલ સ્પીડમાં હંકારી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. આ દરમ્યાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એસટી. બસ પલટી મારી ગઈ હતી.