અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલો
સુરતમાં DEOના તમામ શાળાને આદેશ
વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા આદેશ
વિદ્યાર્થીઓની બેગની તપાસ કરવા આદેશ
જુદી જુદી શાળામાં શરૂ કરાયુ ચેકિંગ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી,ગ્રાન્ટેડ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.સ્કૂલ સેફ્ટી પોલિસી–2016 અનુસાર, હવે દરેક શાળામાં 'શિસ્ત સમિતિ' બનાવવી ફરજિયાત છે. આ સમિતિમાં પ્રિન્સિપાલ, શિક્ષકો અને મોનિટર અથવા જનરલ સેક્રેટરીનો સમાવેશ કરવો પડશે. આ સમિતિનું મુખ્ય કાર્ય શાળાના કેમ્પસ, રમતગમતના મેદાનો અને પ્રવેશ-નિકાસના સ્થળોએ વિદ્યાર્થીઓની સલામતી પર સતત નજર રાખવાનું રહેશે.
નવી માર્ગદર્શિકા મુજબ, શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના બેગની અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનોની ડીકી નિયમિતપણે તપાસવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ પણ જોખમી વસ્તુઓ શાળામાં પ્રવેશી ન શકે.
કોઈપણ ક્લાસમાં શિક્ષક ગેરહાજર હોય ત્યારે વિદ્યાર્થીઓને એકલા છોડી દેવામાં આવશે નહીં. આવા સમયે તેમને અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કે પ્રવૃત્તિઓ માં જોડી દેવામાં આવશે, જેથી તેઓ કોઈ અસામાન્ય પ્રવૃત્તિમાં સંડોવાય નહીં.