સુરત:સલાબતપુરામાં યુવકે કરી કિન્નરની હત્યા,ઘટના પાછળનું કારણ અકબંધ!

કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ

New Update
  • સલાબતપુરામાં કિન્નરની હત્યાનો મામલો 

  • કિશન નામના યુવકે કરી કિન્નરની હત્યા 

  • બંને ત્રણ દિવસથી સાથે રહેતા હતા 

  • યુવક હત્યા કરીને થયો ફરાર 

  • પોલીસે આરોપીની ધરપકડ માટેના ચક્રો કર્યા ગતિમાન

સુરતના સલાબતપુરામાં કિન્નરની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે,કિશન નામના યુવકે સંજનાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ફરાર થઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતના સલાબતપુરામાં ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતા કિશન ને સંજના નામના કિન્નર સાથે ઘણા વર્ષોથી સંબંધ હતા,અને જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી કિશન અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ આજરોજ સવારે કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અને હત્યાને અંજામ આપીને કિશન ફરાર થઇ ગયો હતો,ઘટના અંગેની જાણ પોલીસને થતા DCP ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને સંજનાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને જરૂરી તપાસ શરૂ કરી હતી.જ્યારે ફરાર આરોપી કિશનની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા,તેમજ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે પણ પોલીસે કવાયત આરંભી હતી.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.