સુરત:સલાબતપુરામાં યુવકે કરી કિન્નરની હત્યા,ઘટના પાછળનું કારણ અકબંધ!

કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ

New Update
  • સલાબતપુરામાં કિન્નરની હત્યાનોમામલો

  • કિશન નામના યુવકે કરી કિન્નરની હત્યા

  • બંને ત્રણ દિવસથી સાથે રહેતા હતા

  • યુવક હત્યા કરીને થયો ફરાર

  • પોલીસે આરોપીની ધરપકડ માટેનાચક્રો કર્યા ગતિમાન

સુરતના સલાબતપુરામાં કિન્નરની હત્યાનોબનાવ પ્રકાશમાં આવ્યો છે,કિશન નામના યુવકે સંજનાની તીક્ષ્ણ હથિયારવડે હત્યા કરીને ફરાર થઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતના સલાબતપુરામાં ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતા કિશન ને સંજનાનામના કિન્નર સાથે ઘણા વર્ષોથી સંબંધ હતા,અને જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી કિશનઅને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ આજરોજ સવારે કોઈકબાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અને હત્યાનેઅંજામ આપીને કિશન ફરાર થઇ ગયો હતો,ઘટના અંગેની જાણ પોલીસને થતા DCP ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને સંજનાનોમૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીનેજરૂરી તપાસ શરૂ કરી હતી.જ્યારે ફરાર આરોપી કિશનનીધરપકડ માટેનાપોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા,તેમજ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટેપણ પોલીસે કવાયત આરંભી હતી.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.