Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા જેલમાંથી 5 કેદીઓ થયા ફરાર, જિલ્લાભરની પોલીસ થઈ દોડતી

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા જેલમાંથી 5 કેદીઓ થયા ફરાર, જિલ્લાભરની પોલીસ થઈ દોડતી
X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા જેલમાંથી 5 કેદીઓ ફરાર જતા પોલીસબેડા સહીત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા જેલમાંથી ગત મોડી રાત્રે 4 વાગ્યાના સુમારે 5 જેટલા કેદીઓ ફરાર થઈ ગયા હતા. જેલમાંથી કેદીઓ ફરાર થઈ ગયા હોવાના બનાવથી પોલીસબેડા સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધ્રાંગધ્રા જેલમાંથી ફરાર થયેલા 5 કેદીઓ પૈકીના 4 કેદી 302ના ગુન્હામાં સજા કાપી રહ્યા હતા, જ્યારે 1 કેદી ઘરફોડ ચોરીના ગુન્હામાં જેલ ભેગો થયો હતો. હાલ તો પાંચેય કેદીઓ જેલની દીવાલ કૂદી ફરાર થઈ ગયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

સમગ્ર મામલે સુરેન્દ્રનગર ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો ધ્રાંગધ્રા જેલ ખાતે પહોંચી આ પાંચેય કેદીઓ કેવી રીતે ફરાર થયા હતા, તેનો તાગ મેળવી ફરાર કેદીઓને વહેલી તકે ઝડપી લેવાના પ્રયાસોમાં જોતરાઇ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે.

Next Story