Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોનાના 263 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો

રાજ્યમાં આજે કોરોનાના 263 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો
X

રાજ્યમાં આજે કોરોનાના વાયરસના 263 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.71 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4403 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 2,66,297 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.

રાજ્યમાં હાલ 1696 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1665 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,198 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે 263 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશમાં 43, સુરત કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 22, મહેસાણા 8, વડોદરા-8, ગીર સોમનાથ 7, આણંદ-6, જામનગર કોર્પોરેશન-6, ખેડા-6, સુરત-6, ભરુચ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 8,08,658 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3028 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.

Next Story