રેલવેએ શરૂ કરી નવી જ સુવિધા, તત્કાળ ટિકિટ થશે કન્ફર્મ,જાણો કઈ રીતે..?
દેશમાં કરોડો લોકો પ્રતિ દિવસ રેલવે મુસાફરી તેના કારણે સરકાર પણ તેમાં સમયાંતરે નવી નવી સુવિધાઓ આપી રહ્યું છે,
દેશમાં કરોડો લોકો પ્રતિ દિવસ રેલવે મુસાફરી તેના કારણે સરકાર પણ તેમાં સમયાંતરે નવી નવી સુવિધાઓ આપી રહ્યું છે, તમને જણાવી દઈએ કે રેલવે મુસાફરી કરતા હોવ તો કન્ફર્મ ટિકિટ માટે તમારે દોડાદોડ કરવી પડે છે. પરંતુ હવે રેલવે ટિકિટ માટે ક્યાંય જવાની જરૂર નથી કે એજન્ટ પાસે પણ જવાનું નથી.
રેલવે વિભાગે મુસાફરો માટે એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે. રેલવે તત્કાળ ટિકીટ માટે હવે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ આઈઆરસીટીસી ની વેબસાઈટ પર જ છે. આ એપ મારફતે તમે ઘરે બેઠા બેઠા ક્ષણભરમાં તત્કાલ ટિકિટ બુક કરાવી શકો છો. તેમાં તમારે કોઈ એકસ્ટ્રા પેમેન્ટ આપવાની પણ જરૂર નથી.ઘણી વખત એવું થાય છે કે રેલવે મુસાફરી કરનાર યાત્રીઓને અચાનક મુસાફરી કરવાનું થઈ જાય છે. પરંતુ અચાનક થી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. એવામાં તમે એજન્ટ પાસે દોડો છો અથવા તો તત્કાળ ટિકિટ કોશિશ કરો છો. પરંતુ તત્કાળ ટિકિટ મેળવી પણ સરળ હોતી નથી. આવી સ્થિતિમાં રેલવેની આ સર્વિસ થી સામાન્ય લોકોને મોટી સુવિધા મળશે. આઇઆરસીટીસીના પ્રીમિયમ પાર્ટનર તરફથી 'કન્ફર્મ ટિકિટ' નામથી આ એપને દેખાડવામાં આવી છે આ એપ ગુગલ પરથી ડાઉનલોડ થશે એમાં દરેક ટ્રેનની માહિતી પણ ઉપલબ્ધ હશે તો સાથે આપ જ્યારે પણ ટિકિટ બુક કરાવો ત્યારે તે કન્ફર્મ છે કે નહિ તે પણ ચકાસી શકશો આમ આ એપ મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે.