વડોદરા: મંજુસરમાં ડમ્પર વીજ લાઇનને અડી જતાં લાગી આગ,ગોઝારા અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update

વડોદરામાં સર્જાઈ ગોઝારી ઘટના 

મંજુસર જીઆઈડીસીનો બનાવ 

ઔદ્યોગિક કચરો ખાલી કરવા આવ્યું હતું ડમ્પર 

ડમ્પર વીજ લાઇનને અડી જતાં ભડકે બળ્યું

બે કમભાગીઓ જીવતા જ ભૂંજાયા 

વડોદરાના સાવલી ખાતેની મંજુસર જીઆઈડીસીમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
Advertisment
વડોદરાના સાવલી ખાતેની મંજુસર જીઆઈડીસીમાં HPCL ચોકડી પાસે એક ડમ્પર ઔદ્યોગિક કચરો ખાલી કરવા માટે આવ્યું હતું,જોકે વિધિની વક્રતા એ હતી કે આ ક્ષણે ડમ્પરનું હાઇડ્રોલિક ઉંચકવામાં આવતા ઓવરહેડ વીજ લાઈનમાં અડી ગયુ હતુ.જેના કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી,અને જોતજોતામાં ડમ્પર ભડકે બળવા લાગ્યું હતું.જેમાં બે કમભાગી યુવાનો ડમ્પરની આગમાં જીવતા જ ભૂંજાઈ ગયા હતા,સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટના અંગેની જાણ મંજુસર પોલીસ તેમજ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી,અને ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગમાં લપેટાયેલા ડમ્પર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.ઘટનાની ગંભીરતા પારખીને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.     
Advertisment
Read the Next Article

વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી.

New Update
  • સીએમના કાર્યક્રમમાં થયો હોબાળો

  • બે મહિલાઓએ સીએમને કરી રજૂઆત

  • હરણી બોટકાંડની બે મહિલાઓએ મચાવ્યો હોબાળો

  • મુખ્યમંત્રીએ મહિલાઓને કાર્યક્રમ બાદ મળ્યા

  • પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન 

Advertisment

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સામે CMએ કાર્યક્રમ પછી મળવા અંગે જણાવ્યું હતું.

વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા  1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા,ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માંગીએ છીએકોઈ મળવા દેતું નથી.

ત્યારબાદ મુખ્ય પ્રધાને કહ્યુંતમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છોમને મળીને જ જજો.આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઉભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.

વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કેમારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છેશું અમે આતંકવાદી છીએગુનેગાર છીએપોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.

આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.

Advertisment