-
ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો
-
નરાધમે એક મહિનામાં 2 વાર રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના
-
હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
-
ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા વડોદરા પહોચ્યા
-
બાળકી અને તેના પરિજનો સાથે મુલાકાત કરી સંવેદના દાખવી
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ વડોદરા સિવિલ હોસ્પિટલમાં પીડિત બાળકી તથા તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે આજરોજ પીડિત બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત માટે ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અમિત ચાવડાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, અને સરકાર માત્ર તાયફાઓ કરવામાંથી ઉચી આવતી નથી. અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેઓને ડામવાની જરૂર હોવાનું કોંગ્રેસ આગેવાન અમિત ચાવડાએ જણાવ્યુ હતું.