વડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ પીડિત બાળકીની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કહ્યું : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી..!

ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે

New Update
  • ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો

  • નરાધમે એક મહિનામાં 2 વાર રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના

  • હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા વડોદરા પહોચ્યા

  • બાળકી અને તેના પરિજનો સાથે મુલાકાત કરી સંવેદના દાખવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છેત્યારે ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ વડોદરા સિવિલ હોસ્પિટલમાં પીડિત બાળકી તથા તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છેત્યારે આજરોજ પીડિત બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત માટે ગુજરાત કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અમિત ચાવડાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કેગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છેઅને સરકાર માત્ર તાયફાઓ કરવામાંથી ઉચી આવતી નથી. અસામાજિક તત્વો બેફામ બન્યા છેજેઓને ડામવાની જરૂર હોવાનું કોંગ્રેસ આગેવાન અમિત ચાવડાએ જણાવ્યુ હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.