કરજણ ટોલ પ્લાઝાના દરમાં વધારો ,કાર ચાલકોએ ટ્રીપના રૂ.155 ચૂકવવા પડશે

વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

New Update
  • વડોદરાથી ભરૂચ જવુ હવે થયુ મોંઘુ

  • કરજણ ટોલ પ્લાઝાના દરમાં કરાયો વધારો

  • કાર ચાલકોએ રૂ.105ના બદલે હવે રૂ.155 ચૂકવવા પડશે

  • તમામ વાહનોના ભાવમાં આજથી વધારો લાગુ

  • 50 ટકાથી વધુ ટોલ દરમાં ભાવ વધારો ઝીંકાયો

વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કાર ચાલકોએ એક તરફની ટ્રીપના રૂપિયા 105 ચૂકવવા પડતા હતા.જેના બદલે હવે 155 ચૂકવવા પડશે.

વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં અંદાજીત 50 ટકાથી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા.તેમાં વધારો થતા આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂપિયા 155ની વસુલાત કરવામાં આવી રહી છે.અને અપ એન્ડ ડાઉન માટે 24 કલાકના વાહન ચાલકે રૂપિયા 230 ચૂકવવા પડશે.

ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઇ છે.જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.વડોદરાથી ભરૂચ જવા માટે હવે રૂપિયા 50 વધુ ચૂકવવા પડશે.23 સપ્ટેમ્બરના રોજ ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે રવિવાર અને સોમવારની રાત્રે  12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.