કરજણ ટોલ પ્લાઝાના દરમાં વધારો ,કાર ચાલકોએ ટ્રીપના રૂ.155 ચૂકવવા પડશે

વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

New Update
  • વડોદરાથી ભરૂચ જવુ હવે થયુ મોંઘુ

  • કરજણ ટોલ પ્લાઝાના દરમાં કરાયો વધારો

  • કાર ચાલકોએ રૂ.105ના બદલે હવે રૂ.155 ચૂકવવા પડશે

  • તમામ વાહનોના ભાવમાં આજથી વધારો લાગુ

  • 50 ટકાથી વધુ ટોલ દરમાં ભાવ વધારો ઝીંકાયો

વડોદરાથી ભરૂચ જવા માટે નેશનલ હાઇવે નંબર 48નો ઉપયોગ કરતા વાહન ચાલકો ઉપર ટોલનો માર વધ્યો છે. કરજણ ટોલનાકા ખાતે આજથી અંદાજે 50 ટકાથી વધુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કાર ચાલકોએ એક તરફની ટ્રીપના રૂપિયા 105 ચૂકવવા પડતા હતા.જેના બદલે હવે 155 ચૂકવવા પડશે.

વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં અંદાજીત 50 ટકાથી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા.તેમાં વધારો થતા આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂપિયા 155ની વસુલાત કરવામાં આવી રહી છે.અને અપ એન્ડ ડાઉન માટે 24 કલાકના વાહન ચાલકે રૂપિયા 230 ચૂકવવા પડશે.

ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઇ છે.જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.વડોદરાથી ભરૂચ જવા માટે હવે રૂપિયા 50 વધુ ચૂકવવા પડશે.23 સપ્ટેમ્બરના રોજ ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે રવિવાર અને સોમવારની રાત્રે  12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.