ભારતના ચિત્રકારનાં કલા-સાંસ્કૃતિક વારસાએ ન્યુઝીલેન્ડમાં વગાડ્યો ડંકો

વડોદરાના કોફી આર્ટિસ્ટે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું,અને વિવિધ આકર્ષક કોફી પેઈન્ટિંગ્સના એક્ઝિબિશન ને નિહાળી મેયર સહિતના આમંત્રિતો મંત્રમુગ્ધ બની ગયા હતા.

New Update
  • વડોદરાના કોફી આર્ટિસ્ટનો વિદેશમાં ડંકો

  • ન્યૂઝીલેન્ડમાં યોજાયું કોફી પેન્ટીંગ્સનું એક્ઝીબીશન

  • ઉદયે પાંચ વર્ષની વયે બનાવ્યુ હતુ સુનિલ ગાવસ્કરનું પોટ્રેટ

  • પ્રથમ કોફી પેન્ટિંગ PM મોદીનું બનાવીને ભેટ આપ્યું     

  • ન્યુઝીલેન્ડમાં પાંચ જગ્યાએ કોફી પેઈન્ટિંગ્સનું કર્યું પ્રદર્શન

વડોદરાના કોફી આર્ટિસ્ટે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું,અને વિવિધ આકર્ષક કોફી પેઈન્ટિંગ્સનાએક્ઝિબિશન ને નિહાળી મેયર સહિતના આમંત્રિતો મંત્રમુગ્ધ બની ગયા હતા.

વડોદરાના ઉદય ઉલ્હાસ કોરડે તેમની અનન્ય કલા અને સાંસ્કૃતિકવારસો ન્યુઝીલેન્ડમાં લઇ ગયા હતા.નાનપણથી જઉદયને કલા પ્રત્યે લગાવ હતો અને માત્ર પાંચ વર્ષની ઉંમરે તેણે ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરનું પોટ્રેટ પેઇન્ટ કરીને તેની પ્રથમ આર્ટવર્ક બનાવી હતી.તેમણે કોલગેટ અને હોન્ડા જેવી મોટી બ્રાન્ડ્સ દ્વારા પ્રાયોજિત રાજ્ય-સ્તરની સ્પર્ધાઓમાં પુરસ્કારો પણ મેળવ્યા હતા.નાનપણથી જ ઉદયને માટીકામનો શોખ હતો.દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન તે 123 વર્ષથી ચાલતી પારિવારિક પરંપરાને ચાલુ રાખીને ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવે છે.આ ભક્તિ તેમની કલામાં સ્પષ્ટ છેજે આધ્યાત્મિક સાર અને ઉંડો સાંસ્કૃતિક આદર ધરાવે છે.

વર્ષ 2016માં ઉદયે એક અનોખી શૈલી શોધી કાઢી જેણે તેની કલાત્મક સફરને નવી દિશા આપી હતી.ઉત્કર્ષ દ્વારા તેને ભેટમાં આપેલ એક પેઇન્ટિંગ કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.આનાથી પ્રેરિત થઈને તેણે કોફીને એક માધ્યમ તરીકે શોધવાનું શરૂ કર્યું.તેમની પ્રથમ કોફી પેઇન્ટિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતીજે બાદમાં તેમણે ભેટ તરીકે રજૂ કરી હતીત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર બનાવ્યું હતું.ત્યારથી તેમણે સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં સાત પ્રદર્શનોનું આયોજન કર્યું છે,જેમાંથી દરેક કોફી અને કલા પ્રત્યેના તેમના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

આજે ઉદયનું આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કલાનું પ્રદર્શન કરવાનું સ્વપ્ન સાકાર થયું છે.ન્યુઝીલેન્ડમાંઓક્ટોબરમાં રોટોરુઆના હિન્દૂ હેરિટેજ સેન્ટર ખાતેના તેમના પ્રદર્શનમાં ભારતના સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મક કલાત્મકતાના મિશ્રણની ઉજવણી કરવામાં આવી હતી.તેમણે મેયર  તાનિયા ટેપસેલ અને સાંસદ ટોડ મેકક્લેને તેમના કોફી ચિત્રો રજૂ કર્યા હતા,અને હવે તેઓ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનને એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. ઉદયે ન્યુઝીલેન્ડમાં પાંચ પ્રદર્શનો યોજ્યા છે.અને તેઓએ વિદેશની ધરતી પર પોતાની કલાત્મકતાને રજુ કરી સફળતાની નવી ઉંચાઈઓ સ્તર કરી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.