વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી. ચોરીના ઇરાદે આવેલા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે સીસીટીવીના આધારે આરોપીનો ચહેરો ઓળખી હ્યુમન ઈન્ટેલિજન્સીની મદદથી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર આરોપી કૃણાલ વિનોદભાઈ ગોદડીયા જેનું રહેઠાણ ગોળ નવાપુરા છે,તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેને ચોરીના ઈરાદે ગણેશ ભંડારોમાં ગયો હતો.તેને ખ્યાલ હતો કે યુવકો આરતીમાં આવેલા છૂટા પૈસા મૂર્તિઓ નીચે રાખતા હોય છે.જેથી પૈસા કાઢવાના ઇરાદે મૂર્તિ હટાવવાની કોશિશ કરતા મૂર્તિઓ ખંડિત થઈ હતી.આરોપીએ ત્રણેય ભંડારો માંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી હોવાનું જણાવ્યું છે.