Connect Gujarat
ગુજરાત

વલસાડ : કલગામે હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠાિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વલસાડ : કલગામે હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠાિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
X

વલસાડ જિલ્લાના

ઉમરગામ તાલુકાના કલગામ ખાતે સુપ્રસિદ્ધ હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ઉમરગામ તાલુકાના

કલગામ સ્થિત ભાવિક ભક્‍તનોના આસ્‍થાનું

કેન્‍દ્ર એવા હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિરના

પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે યજ્ઞ-હવન, મહા આરતી, ધ્વજારોહણ

સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે મંદિરના પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં હજ્‍જારો શ્રદ્ધાળુઓએ હનુમાનજીના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

આ પ્રસંગે વન અને

આદિજાતિ વિકાસ રાજ્‍ય મંત્રી રમણલાલ પાટકર, વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર

દર્પણ ઓઝા, સરપંચ દિનેશભાઇ, કેન્‍દ્રિય એફ.સી.આઇ.ના સભ્‍ય હિતેશ સુરતી, અગ્રણી મહેશ ભટ્ટ, મુકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કલગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story