Connect Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીનું PM પ્રત્યેનું નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે: CM રૂપાણી

રાહુલ ગાંધીનું PM પ્રત્યેનું નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે: CM રૂપાણી
X

ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સાયખા ખાતે કંપનીનું કર્યું ભૂમિપૂજન

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી સ્થિત સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેનું ભૂમિપૂજન આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે રાહુલગાંધીને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું PM પ્રત્યેનું નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે.

આ તબક્કે મુખ્યમંત્રીએ રાજ્યમાં અછતની પરિસ્થિતિ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછો વરસાદ થયો છે. જેથી આગામી 1 ઓક્ટોબરથી રાજ્ય સરકાર કામગીરી શરૂ કરાશે. વધુમાં થોડા સમય પહેલાં અમરેલી વિસ્તારમાં 11 સિંહના મોત થયા છે. જે અંગે જણાવ્યું હતું કે, જરૂર પડે તમામ સિંહનું પરીક્ષણ કરાશે. મૃતક સિંહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Next Story