Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશ: ઢાકામાં હિન્દુ મંદિર પર હુમલો,ભારે તોડફોડ

ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200 થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા

બાંગ્લાદેશ: ઢાકામાં હિન્દુ મંદિર પર હુમલો,ભારે તોડફોડ
X

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલાઓના અનેક વાર સમાચાર આવતા જ હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશમાં પણ હિન્દુ મંદિરો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. હોળીના પાવન દિવસે પણ બાંગ્લાદેશની રાજધાનીની અંદર જ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર રાધાકાન્ત મંદિર પર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ઈસ્કોન મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200 થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ટોળાએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર કેટલાક લોકોએ મારપીટ પણ કરી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર અને અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા હતા.

Next Story