Connect Gujarat
દુનિયા

ભારત સામે હાર બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભૂકંપ, પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ સરકારને અપશુકન ગણાવી...

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જે કારમી હાર મળી છે, તેનાથી પાકિસ્તાનના રાજકારણમાં પણ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે.

ભારત સામે હાર બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભૂકંપ, પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ સરકારને અપશુકન ગણાવી...
X

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જે કારમી હાર મળી છે, તેનાથી પાકિસ્તાનના રાજકારણમાં પણ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. અહીંયા નેતાઓએ નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ હાલની પાકિસ્તાનની સરકારને જ અપશુકનિયાળ ગણાવી દીધી છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાની પહેલી મેચ ભારતીય ટીમ વિરુદ્ધ રવિવારે રમી. આ મેચમાં પાકિસ્તાની ટીમ 5 વિકેટે હારી ગઈ. જેને લઈને ટીમની ખુબ ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, તેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની કોઈ ભૂલ જ નથી. આ હાર માટે પાકિસ્તાનની સરકાર જવાબદાર છે. તે અપશુકનિયાળ છે. આ જ કારણે પાકિસ્તાન ટીમે હાર ઝીલવી પડી. ફવાદે ટ્વીટ કરીને આ વાત કરી. પીટીઆઈ નેતાએ પોસ્ટમાં ઉર્દૂમાં લખ્યું છે કે 'આ ટીમની ભૂલ નથી, ઈમ્પોર્ટેડ હુકુમત જ મનહૂસ છે' ફવાદે ટ્વીટમાં હેશટેગ સાથે #indiavspakistan પણ લખ્યું. અત્રે જણાવવાનું કે, આ અગાઉ ઈમરાન ખાનની સરકારમાં ફવાદ ચૌધરી સૂચના અને પ્રસારણ મંત્રી હતા. હાલ શહબાજ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી.

કેપ્ટન બાબર આઝમ જલદી પેવેલિયન ભેગા થઈ ગયા. ભારતીય બોલર સામે પાકિસ્તાનની ટીમ ટકી શકી નહીં. 147 રનનો સ્કોર પર આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર 4, હાર્દિક પંડ્યાએ 3 અને અર્શ દીપસિંહે 2 વિકેટ તથા આવેશ ખાનને એક વિકેટ મળી. 148 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે પણ મેચ સરળ નહતી. ટોપ ઓર્ડર ફરી ફેઈલ જોવા મળ્યો. કેએલ રાહુલ પહેલા જ બોલે આઉટ થઈ ગયા. જ્યારે કેપ્ટન રોહિત શર્મા ફક્ત 10 રન બનાવી શક્યા. વિરાટ કોહલીએ 35 રનનું મહત્વનું યોગદાન આપ્યું, પણ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા મેચનું પાસું જ ફેરવી નાખ્યું હતું.

Next Story