Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન : પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 25ના મોત, 100થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી.

પાકિસ્તાન : પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 25ના મોત, 100થી વધુ ઘાયલ
X

પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બપોરે 1.40 કલાકે થયો હતો.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આત્મઘાતી બોમ્બરે મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ જ પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેના કારણે નમાજ માટે આગળ ઉભેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 13 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્તારને સીલ કરીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન આવ્યું છે. તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આતંકવાદ વિરુદ્ધ ગુપ્તચર માહિતીને મજબૂત કરવા અને પોલીસ દળને વધુ સાધનો પૂરા પાડવાની માગણી કરી હતી.

Next Story