Connect Gujarat
દુનિયા

કાબુલમાં ગુરુદ્વારામાં આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ, તાલિબાન સૈનિકોએ ઘેરો ઘાલ્યો; ગોળીબારમાં બેના મોત

કાબુલમાં કર્તા પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા છે.

કાબુલમાં ગુરુદ્વારામાં આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ, તાલિબાન સૈનિકોએ ઘેરો ઘાલ્યો; ગોળીબારમાં બેના મોત
X

કાબુલમાં કર્તા પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા છે. આતંકવાદીઓ ગુરુદ્વારામાં સતત ગોળીઓ વરસાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો અને પછી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ હુમલામાં બેના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ફસાયેલા છે. તમને જણાવી દઈએ કે હુમલો 8.30 વાગ્યે થયો હતો. હુમલા બાદ તાલિબાન સૈનિકો સતત જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે જ્યારે 2 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા છે.

Next Story