અમદાવાદ : એએમસીની સભામાં પહોંચ્યા ઇમરાન ખેડાવાલા, જુઓ શું થયું તેમની સાથે
BY Connect Gujarat25 Sep 2020 10:04 AM GMT
X
Connect Gujarat25 Sep 2020 10:04 AM GMT
અમદાવાદમાં આજે એએમસીની સામાન્યસભા મળી હતી આ સભામાં એક સમયે વાતવરણ ગરમાયુ હતું જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સભામાં પહોંચ્યાં હતા પણ જ્યારે મેયર બિજલ પટેલે રિપોર્ટ માંગ્યો તો ખેડાવાળાનું કેહવું હતું કે તેમને 4 દિવસ પહેલા વિધાનસભામાં રિપોર્ટ કઢાવ્યો હતો પણ મેયરે તે વાતને માન્ય ના રાખી અને કહ્યું કે દરેક લોકોએ અહીં રિપોર્ટ કઢાવવો પડે ત્યારેબાદ પણ ઇમરાન ખેડાવાળા ના માનતા તેમને સભામાંથી બહાર કઢાવમાં આવ્યાં હતાં. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને બહાર કાઢતા તેમણે ભાજપ પર તાનાશાહી નો આરોપ લગાવ્યો અને કહ્યું કે વિધાનસભામાં જે રિપોર્ટ છે તે સરકાર માન્ય છે છતાં અહીં દબાણ કરવામાં આવે છે. એએમસીમાં ભાજપની સત્તા છે અને આ તાનાશાહી છે
Next Story