આમોદમાં બીટીએસ દ્વારા હેરાનગતિ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ

New Update
આમોદમાં બીટીએસ દ્વારા હેરાનગતિ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ

આમોદમાં ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આદિવાસી કાર્યકરોને પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલને સંબોઘીને આવેદન પત્ર મામલતદારને પાઠવ્યુ હતુ. જેમાં સરકાર ચૂંટણી જીતવા માટે સામ - દામ - દંડ - ભેદની નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપ કર્યો છે.

publive-image

હાલની રાજ્યસભાની ચુંટણીમાં ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપ વિરોધી મતદાન કરતા ગુજરાત સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને તેઓની પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ચાલતા સામાજિક સંગઠન ભીલીસ્તાન ટાઇગર સેના સાથે સંકળાયેલ આગેવાનો ઉપર શાસન પ્રશાસન તેમજ પોલીસ દ્વારા ખોટી રીતે કેસો દાખલ કરી ખોટી રીતે હેરાનગતિ કરીને કુટનીતિ થી આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાનો મરણીયા પ્રયાશો કરી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

બીટીએસ દ્વારા આવેદન પત્ર પાઠવીને આ અંગે જરૂરી કાર્યવાહીની માંગ પણ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories