Connect Gujarat
Featured

કોરોના મહામારી : રાજ્યમાં આજે 1272 નવા કેસ નોંધાયા,14 દર્દીઓના મોત,1050 લોકો થયા સ્વસ્થ

કોરોના મહામારી : રાજ્યમાં આજે 1272 નવા કેસ નોંધાયા,14 દર્દીઓના મોત,1050 લોકો થયા સ્વસ્થ
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 1272 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અને વધુ 14 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 1050 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 2978 થયો છે.

રાજ્યમાં આજે 1272 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં-97, સુરત- 92, રાજકોટ કોર્પોરેશન-82, જામનગર કોર્પોરેશન - 81, ભાવનગર કોર્પોરેશન-37, વડોદરા- 35, પંચમહાલ-30, રાજકોટ-30, અમરેલી-28, ભાવનગર-28, મોરબી-26, ગાંધીનગર-25, ગીર સોમનાથ-24, અમદાવાદ-23, બનાસકાંઠા-23, કચ્છ-22, ભરુચ-21, મહેસાણા-19, વલસાડ-18, આણંદ-16, પાટણ-15, દાહોદ-15, દેવભૂમિ દ્વારકા- 15, જુનાગઢ કોર્પોરેશ-14, નવસારી-14, ગાંધીનગર કોર્પોરેશન-13, ખેડા, -13, નર્મદા -12, જામનગર-11, જુનાગઢ- 11, છોટાઉદેપુર-9,સ મહીસાગર-9, સુરેન્દ્રનગર-8, બોટાદ-7, અરવલ્લી-6, સાબરકાંઠા-6, તાપી-6, પોરબંદર-5 અને ડાંગમાં -2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી-1, ગીર સોમનાથ-1, રાજકોટ-1, રાજકોટ કોર્પોરેશન-1, સુરત-1, વડોદરા-1, વડોદરામાં કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story