'તારક મહેતા' ફૅમ ડો. હાથીનું અવસાન, રાત્રે સૂતા બાદ કાયમ માટે પોઢી ગયા

New Update
'તારક મહેતા' ફૅમ ડો. હાથીનું અવસાન, રાત્રે સૂતા બાદ કાયમ માટે પોઢી ગયા

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ડો.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ડો.હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું દુઃખદ અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા મમજબ, આઝાદ કવિએ પોતાની કારમાં આઠ જુલાઈના રોજ મિત્રો સાથે પાર્ટી કરી હતી. પછી તેઓ ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે આજે નવ જુલાઈના રોજ સવારે જ્યારે તેઓ ઉઠ્યા નહીં ત્યારે પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના પેરેન્ટ્સ તથા મોટા ભાઈ-ભાભી સાથે મુંબઈમાં રહેતા હતાં. હાલમાં ડો. હાથીના પેરેન્ટ્સ મુંબઈ બહાર એક સંબંધીને ત્યાં લગ્નમાં ગયા છે. તેઓ આવશે પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Read the Next Article

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 69 લોકોના મોત, CM સુખુએ કહ્યું- "ગૃહમંત્રી અમિત શાહ અમને સંપૂર્ણ મદદ કરશે"

સુખુએ કહ્યું કે હિમાચલમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ભારે વિનાશ થયો છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી, જેમણે રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

New Update
HIMACHAL CM

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ અને આફતોએ તબાહી મચાવી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે, 37 લોકો ગુમ છે અને 110 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, રાજ્યમાં લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'વરસાદની શરૂઆતથી રસ્તાઓ, પાણી પ્રોજેક્ટ્સ, વીજળીના લાઇનો અને થાંભલાઓને ભારે નુકસાન થયું છે. વીજળીના થાંભલા ઉખડી ગયા છે, જેના કારણે વીજળી પુરવઠા પર ખરાબ અસર પડી છે.'

સુખુએ કહ્યું કે હિમાચલમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ભારે વિનાશ થયો છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી, જેમણે રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'મેં આજે ગૃહમંત્રી સાથે વાત કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સંપૂર્ણ સહયોગ આપશે. કેન્દ્રીય ટીમ પણ આજે હિમાચલ પહોંચી રહી છે જેથી નુકસાનનો અંદાજ લગાવી શકાય. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યમાં 14 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું, 'અમે અભ્યાસ કરી રહ્યા છીએ કે વાદળ ફાટવાની ઘટનાઓ આટલી બધી કેમ બની રહી છે.'

મુખ્યમંત્રીએ માહિતી આપી કે શિમલાની એક બાગાયતી કોલેજમાં ફસાયેલા 92 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, 'હિમાચલ પ્રદેશ સરકાર અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે. અમે નિર્ણય લીધો છે કે જે પરિવારોના ઘરોને નુકસાન થયું છે તેમને ભાડાના ઘરમાં રહેવા માટે 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.' તેમણે એમ પણ જણાવ્યું કે કેબિનેટ સભ્યો પરિસ્થિતિનો ખ્યાલ રાખવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના આ વિનાશથી વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે.