દિવાળીના તહેવારમાં પૂજા વિધિનું મહત્વ

New Update
દિવાળીના તહેવારમાં પૂજા વિધિનું મહત્વ

દિવાળીના તહેવાર પર ધનતેરસ થી ભાઇબીજ સુધી ઘરમાં પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે કયા દિવસે કઇ પૂજા કરવી અને કઇ રીતે કરવી તે જાણવુ અગત્યનું બની જાય છે.

જાણો ધન તેરસના દિવસે શું કરવું ?

ધનતેરસના દિવસે સવારે સ્નાન આદિ નિત્યાક્રમથી પરવારીને આસન ગ્રહણ કરીને ઇષ્ટદેવની જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુએ તેલનો દીવો કરીને પૂજા કરવી.

આ દિવસે મહાકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મીનો મંત્રજાપ, મૃત્યુંજયના જપ, હનુમાન ચાલીસાના પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની સ્તુતિ, જય મંગલાના પાઠ, નવકાર મંત્ર અને પ્રાર્થના કરવામાં આવે છે. જેનાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિ અને સૌભાગ્ય સુખમાં વધારો થાય છે.

કાળી ચૌદશે કેવી રીતે પૂજા કરવી ?

કાળી ચૌદશના દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ બે ઘીના અને બે તેલના દિવા કરી થાળીમાં કંકુના બે સાથિયા કરી તેની પૂજા કરવી. તદ ઉપરાંત બીજો ઘીનો દીવો કરીને શ્રીફળ વધેરવુ અને શ્રીફળના પાણીનો આખા ઘરમાં છંટકાવ કરવો. તે દિવસે વડાનું નૈવેદ્ય પણ કરી શકાય.

દિવાળીના દિવસે કરવામાં આવતી પૂજા

આ દિવસે સાંજે ત્રણ ઘીના અને ત્રણ તેલના દીવા કરવા. તેમજ ત્રણ કંકુના સાથિયા કરીને પૂજા કરવી તેમજ આરતી કરીને શેરડી અથવા ગોળનું નૈવેદ્ય કરવુ. દિવાળીના દિવસે મહાકાળી-મહાલક્ષ્મી-મહાસરસ્વતીના મંત્રજાપ અને પૂજા કરવા.

નવા વર્ષની પૂજા

નવા વર્ષના દિવસે સવારે ચાર ઘીના દીવા અને ચાર તેલના દીવા કરવા. તેમજ ચાર કંકુના સાથિયા કરવા. ત્યારબાદ મંત્રજાપ કરીને લાપસી-કંસારનું નૈવેદ્ય કરીને આરતી કરવી.

ભાઇ બીજની પૂજા

ભાઇબીજના દિવસે પાંચ ઘીના અને પાંચ તેલના દીવા અને પાંચ સાથિયા કરવા. આ દિવસે મંત્રજાપ કરીને ફળફળાદિ કે સૂકામેવાનો પ્રસાદ કરવો.

Read the Next Article

IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાશે

ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ શરૂ થતાં જ ભારતના વધુ એક સ્ટાર ખેલાડીનો સમાવેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની યાદીમાં થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર આકાશ દીપની પીઠની ઈજાની પુષ્ટી કરી છે.

New Update
scss

ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ શરૂ થતાં જ ભારતના વધુ એક સ્ટાર ખેલાડીનો સમાવેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની યાદીમાં થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર આકાશ દીપની પીઠની ઈજાની પુષ્ટી કરી છે.

આ સાથે આકાશ દીપની જગ્યાએ અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ બુધવારથી માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે (ભારતીય સમય) શરૂ થશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ચોથી ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રસિદ્ધ કૃષ્ણા અને અંશુલ કંબોજમાંથી કોઈ એકને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવશે. ત્રીજી ટેસ્ટ પછી બેકનહામમાં પ્રેક્ટિસ દરમિયાન અર્શદીપ સિંહને હાથની ઈજા થયા બાદ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગિલે કહ્યું હતું કે, 'જ્યારે ખેલાડીઓ ઘાયલ થાય છે ત્યારે તે ક્યારેય સરળ હોતું નથી. નીતિશ આખી શ્રેણીમાંથી બહાર છે અને આકાશ પણ આ મેચ માટે ઉપલબ્ધ નથી. જોકે, અમારી પાસે 20 વિકેટ લેવા માટે પૂરતા સારા ખેલાડીઓ છે.'

સોમવારે ટીમના પ્રેક્ટિસ સેશનમાં અંશુલ કંબોજે બોલિંગ કરી હતી. ભારતીય કેપ્ટને કહ્યું, 'કંબોજ ડેબ્યૂ કરવાની નજીક છે. તમને કાલે ખબર પડશે કે તે અથવા પ્રસિદ્ધ કૃષ્ણા બેમાંથી કોઈ એકને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે કે નહીં.' ગિલે કહ્યું હતું કે કંબોજ પણ આકાશ દીપ જેવો મેચ વિનર બોલર છે. બર્મિંગહામ ટેસ્ટમાં 10 વિકેટ લઈને આકાશદીપે ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Latest Stories