ભરૂચ નર્મદા પાર્ક ફૂટ બ્રિજ ના નમૂના લઈને તપાસ શરુ કરાઈ
BY Connect Gujarat24 Nov 2016 1:28 PM GMT
X
Connect Gujarat24 Nov 2016 1:28 PM GMT
ભરૂચ ઝાડેશ્વર નીલકંઠેશ્વર ખાતે આવેલ નર્મદા પાર્કમાં ફૂટ બ્રિજ તુટી જવાની ઘટનામાં બે મહિલા ના કરુણ મોત નિપજ્યા હતા,જે ઘટનામાં રિસર્ચ ટીમ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
નર્મદા પાર્કમાં પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જન બાદ ફૂટ બ્રિજ અકસ્માતે તૂટી જતા ભાગદોડ મચી ગઈ હતી.જે ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેના કરુણ મોત નિપજ્યા હતા.જે અંગે ની તપાસ અર્થે ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમે બ્રિજના નમૂના લીધા હતા.અને તપાસને વેગવંતી બનાવી હતી.
Next Story