વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે,પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથના કરશે દર્શન
BY Connect Gujarat18 May 2019 4:27 AM GMT
X
Connect Gujarat18 May 2019 4:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અહીં શિવપૂજા અને આરાધના કરશે. અને રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.
આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે સુરક્ષામાં તૈનાત જવાનો પોતાના સ્પોટ પરથી ખસે નહીં. બેદરકારી વર્તનાર અધિકારીઓ અને કર્મીઓ સામે કડક પગલાં લેવાશે.
Next Story