વલસાડઃ તામછડીમાં તળાવ ઉંડા કરવાની કામગીરી, લોકોને ઘરઆંગણે રોજગારી
BY Connect Gujarat23 May 2018 12:21 PM GMT
X
Connect Gujarat23 May 2018 12:21 PM GMT
સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કામગીરી ચાલી રહી છે. જે પૈકી ધરમપુર તાલુકાના તામછડી ગામે મનરેગા યોજના હેઠળ નવું તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ગામના ૯૬ જેટલા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આ તળાવ બનવાથી ગામના કૂવા અને બોરમાં પાણીના તળ ઊંચા આવવાથી ઊનાળામાં પડતી પાણીની મુશ્કેલીનું ચોક્કસ નિવારણ થશે. આમ જળસંચય થકી શ્રમિકોને ઘરઆંગણે રોજગારીની તક સાંપડી છે.
Next Story