અંકલેશ્વરના સંજાલી ગામ પાસે રેલ્વેની અડફેટમાં આવી જતા એક અજાણ્યા ઇસમનું મોત

New Update
અંકલેશ્વરના સંજાલી ગામ પાસે રેલ્વેની અડફેટમાં આવી જતા એક અજાણ્યા ઇસમનું મોત

લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સંજાલી ગામ રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.

જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજ્યું હતું. જેથી અંકલેશ્વર તાલુકા પોલીસે આ અજાણ્યા ઇસમની લાશ નો કબજો મેળવીને પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અજાણ્યા ઇસમની લાશને અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. આ લાવારીશ લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી. જેથી તાલુકા પોલીસે હાલ તો બિનવારસી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories