/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/Post-office-photo01-copy.jpg)
અંકલેશ્વર શહેર ચૌટા બજાર ખાતે આવેલ પોસ્ટ ઓફિસની ખાડે ગયેલી સેવાઓને કારણે પોસ્ટમાં આવતા સિનિયર સીટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ પોસ્ટ ઓફિસ વિવાદોનું કારણ બની છે. પોસ્ટના કામકાજ અર્થે સમયસર પોતાનું કામ થઇ જશે તેવી ધારણા સાથે સવારના 7 વગ્યા થી જ સિનિયર સીટીઝનો પોસ્ટની બહાર લાઈન લગાવીને ઉભા હોય છે, પરંતુ પોસ્ટની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના પગલે સિનિયર સીટીઝનોનું કામ કલાકોનાં સમય બાદ પૂર્ણ થાય છે.
વધુમાં પોસ્ટ ઓફિસમાં સિનિયર સીટીઝનો ને બેસવા માટેની પણ સુવિધા નહોવાનું જાણવા મળ્યુ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પોસ્ટમાં અપૂરતા સ્ટાફના પરિણામે પોસ્ટમાં આવતા ગ્રાહકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાય છે. ઉપરાંત અવારનવાર સર્વર ડાઉન થઇ જતા પણ પોસ્ટની કામગીરી ઠપ થઇ જતી હોવાનું પણ ગ્રાહકો કહી રહ્યા છે.