અંક્લેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

New Update
અંક્લેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વરનાં નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં શિશુ વિભાગના ભૂલકાઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે બહેને ભાઈને રક્ષા બાંધી ચોકલેટ આપીને મોઢુ મીઠું કરાવ્યુ હતુ. નાના ભુલકાઓએ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી પ્રસંગને દિપાવ્યો હતો.

publive-image

આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ,ચેરમેન વિમલભાઈ પાઠક ,વહીવટદાર રસીલાબેન કુંભાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ રાખડી બનાવવાની સ્પર્ધામાં પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

publive-image