અમદાવાદમાં નોકરીના નામે કરવામાં આવી મસમોટી ઠગાઈ

New Update
અમદાવાદમાં નોકરીના નામે કરવામાં આવી મસમોટી ઠગાઈ

અમદાવાદમાં સારી નોકરી મેળવવા માટે લોકો અનેકો પ્રયત્નો કરતા હોય છે. ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મસમોટા વેતનની લાલચ આપી અલગ-અલગ મોડ્સ ઓપરેન્ડી વડે પૈસા મંગાવામાં આવતા હતા. જે બાબતે ઈસમ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ મામ્લે આંખ આડા કાન કરવામાં આવતા તેમને કનેક્ટ ગુજરાત ન્યુઝને તેમને સંપૂર્ણ ઘટનાક્રમ સાથે આપવીતી વર્ણવી હતી.

અમદાવાદમાં ઠેર ઠેર સારી નોકરીઓમાટે અલગ અલગ જોબ કન્સલ્ટન્સીઓ ખોલવામાં આવી છે. ત્યારે અમદાવાદ નહિ પરંતુ સમગ્ર દેશમાં આવી કન્સલ્ટન્ટસીઓ હોય છે. ત્યારે આવી કનસલ્ટન્સીમાં ભોળા લોકોને ફસાવવા માટે એક જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવતી હોય છે. જયારે કોઈ પણ વ્યક્તિ ગુગલ કે અન્ય કોઈ પણ જગ્યા પર જોબ માટે સર્ચ કરતા હોય છે,ત્યારે તે સર્ચ પર પણ આ લોકો દ્વારા ધ્યાન આપવામાં આવે છે. તથા અનેકો જોબ અપાવતી વેબસાઈટો પરથી આવા જોબ સીકરનો કોન્ટેક્ટ નંબર મેળવી તેને કોલ કરવામાં આવતો હોય છે.આવી જ એક એરપોર્ટ પર જોબ અપાવવા માટેની કંપની દ્વારા ઠગાઈ કરવાનું સામે આવી રહ્યું છે.જેમાં આ ઈસમ જોડે આશરે ૫૦ હજાર થી વધુ રૂપિયા પડાવવાનો બનાવ સામે આવ્યો છે. એરપોર્ટ કંપની દ્વારા સુપ્રસિદ્ધ અખબારોમાં જાહેરાતો આપવામાં આવી હતી અને આ જાહેરાતો વાંચતા નોકરી વાંચ્છુંક આ ઈસમ દ્વારા તે કંપનીને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની પાસે ફી ના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.