અરવલ્લી:મેઘ મહેર થતાં જગતનો તાત મલકાયો, પાકને મળ્યું જીવનદાન

અરવલ્લી જિલ્લામાં બે સપ્તાહ બાદ થયેલા વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે, જો કે હજુ વધુ વરસાદ થાય તો ખેડૂતો ઉનાળુ તેમજ શિયાળુ પાક લઇ શકે.
અરવલ્લી જિલ્લામાં પંદર દિવસ બાદ વરસાદ થતાં ખેડૂતોને હાશકારો થયો છે, કારણ કે, મોંઘાભાવનું બિયારણ લાવી મગફળી, કપાસ અને મકાઈના વાવેતર પર ખતરો મંડરાયો હતો, તેને હવે જીવનદાન મળ્યું છે. શરૂઆતમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ થયા બાદ બે સપ્તાહથી વધારે વરસાદે વિરામ લીધો હતો, જેથી પાક સૂકાવા લાગ્યો હતો, એટલું જ નહીં જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો પણ નહોતો, જેથી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરી દેવાયું હતું. સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા, પણ કુદરત મહેરબાન થતાં મેઘમહેર થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતો મલકાયા છે. ખેડૂતોનું માનિએ તો હજુ વધુ વરસાદ થાય તો શિયાળુ તેમજ ઉનાળુ પાક પણ સારી રીતે લઇ શકાય. મહત્વનું છે કે,અરવલ્લી જિલ્લામાં 1.5 લાખથી વધારે હેક્ટરમાં વાવેતર થયું છે,ત્યારે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. પણ હવે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
અમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMT