નોકરી પર જઇ રહેલા બે મિત્રોની મોટરસાયકલને અકસ્માત નડતા એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત

New Update
નોકરી પર જઇ રહેલા બે મિત્રોની મોટરસાયકલને અકસ્માત નડતા એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત

વાઘોડિયાના તવરા ગામ પાસે બાઇક સવાર બે યુવાનો પર અચાનક બાવળનું વૃક્ષ તૂટીને પડતા એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના અકોટા ગામના બે મિત્રો વાઘોડિયા આવેલ જી. આઈ. ડી. સી ની કાંઈજન કંપનીમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા. તેઓ રાબેતા મુજબ આજે વહેલી સવારે બને મિત્રો પોતાની બાઈક લઈને વાઘોડિયા ખાતે આવેલ કાંઈજન કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા.

બંને મિત્રો બાઈક પર વાઘોડિયાના તવરા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડની બાજુમાં આવેલું બાવળનું મહાકય વૃક્ષ તૂટીને અચાનક ચાલુ બાઈક પર પડતા બંને મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બાઈક ચાલક સંજય વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા મિત્ર મહેન્દ્ર વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની જાણ કાંઈજન કંપનીના એચ. આર ને થતાં તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફીક ખુલ્લો કરી મૃતદેહનો કબ્જો મેળવી પી એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આશાસ્પદ યુવકના મોતના સમાચાર ડભોઈ તાલુકાના નાનકડા એવા અકોટા ગામમાં પ્રસરતા ગામમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.