કચ્છ : આતંકવાદી હુમલાના ઇનપુટ અને 15મી ઓગસ્ટને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો

New Update
કચ્છ : આતંકવાદી હુમલાના ઇનપુટ અને 15મી ઓગસ્ટને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો

દેશમાં આતંકવાદી હુમલાના ઇનપુટ અને 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે કચ્છ જીલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

Advertisment

ભુજ રેલ્વે સ્ટેશન પર આવતા જતાં તમામ પ્રવાસીઓ તેમજ તેમના માલ સામાનની તપાસ સાથે ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવીહતી. ક્ચ્છ એ સીમાવર્તી જિલ્લો છે અને દરિયામાં સામે પાર પાકિસ્તાનમાં નાપાક ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે સમગ્ર જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

કચ્છમાં રણ, દરિયાઈ અને હવાઈ સીમા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભુજ રેલ્વે સ્ટેશન પ્રવાસીઓથી વધુ ધમધમતું રહે છેત્યારે હાલમાં વરસાદને કારણે ઘણી ટ્રેન રદ થઈ હોવાથી સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સરહદ ઉપર પણસુરક્ષાનો જાપતો વધારી દેવાયો છે.

Advertisment
Read the Next Article

ઓપરેશન સિંદૂર’ બાદ દ્વારકામાં સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો, મરીન પોલીસનું જબરજસ્ત પેટ્રોલિંગ...

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી, દ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

New Update
  • 3 દિશાએ દરિયાથી ઘેરાયેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો

  • ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો

  • દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

  • 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ કરાયો

  • ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ 20 બોટ જપ્ત 

Advertisment

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર સીમામાં સુરક્ષામાં વધારો કરાયો છેજ્યાં મરીન પોલીસ દ્વારા જબરજસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથીદ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓએ જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.

મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક બોટને પકડવામાં આવી છે. આ બોટો જરૂરી ટોકન્સ વિના અથવા જૂના ટોકન્સનો દુરુપયોગ કરીને તેમજ હોકાયંત્રએન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સ્મોક સિગ્નલ જેવા આવશ્યક સાધનો વિના ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકેઆ ઉલ્લંઘન બદલ દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ અને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. જેમાં બેટ દ્વારકાવાડીનારસલાયાદ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાંથી 20 બોટ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Latest Stories