ગોધરા: અનૂસૂચિત સમાજ દ્વારા રેલી કાઢી અન્યાય મુદ્દે આપવામાં આવ્યું આવેદન

New Update
ગોધરા: અનૂસૂચિત સમાજ દ્વારા રેલી કાઢી અન્યાય મુદ્દે આપવામાં આવ્યું આવેદન

પંચમહાલ જિલ્લામાં અનૂસૂચિત જાતિ સામે થતાં અન્યાય બાબતે ગોધરા ખાતે અનૂસૂચિત સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને સંબોધી પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે બાબા આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારના વિરોધમાં આજરોજ પંચમહાલ તથા વડોદરા જિલ્લાના અનૂસૂચિત જાતિના અગ્રણીઓ એકત્રિત થઇ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની સાથે થતા અન્યાયને લઇને સરકાર સુધી રજૂઆત કરવા જણાવ્યું હતું. તાજેતરમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અનૂસૂચિત જાતિના લોકોને લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા, ઘોડા પર બેસવા, બેન્ડવાજા વગાડવા વગેરે બાબતોમાં દલિતો સાથે થતા અન્યાયને લઇને આજરોજ ગોધરા ખાતે અનૂસૂચિત જાતિના અગ્રણીઓએ પ્રથમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહારવિધિ કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.

આ રેલીમા પંચમહાલ તથા વડોદરા જિલ્લાના અનૂસૂચિત જાતિના યુવાનો જોડાયા હતા. જિલ્લાના અને ગામડાઓમાં દલિત સમાજના લોકોના શુભ પ્રસંગોએ વરઘોડો નહીં કાઢવા, ઘોડા પર નહી બેસવા તથા મંદિરમાં પ્રવેશવું નહી આવા અનેક અન્યાયને લઈને સરકાર પાસેથી ન્યાય મળે તેવા આશયે જિલ્લા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories