Connect Gujarat
ગુજરાત

ગોધરા : દિશા પેથોલોજી લેબોરેટરીમાં ડેન્ગ્યુ પોઝીટીવનો ખોટો રિપોર્ટ આપવામાં આવતા દર્દીના સગા સંબંધીમાં જોવા મળ્યો રોષ

ગોધરા : દિશા પેથોલોજી લેબોરેટરીમાં ડેન્ગ્યુ પોઝીટીવનો ખોટો રિપોર્ટ આપવામાં આવતા દર્દીના સગા સંબંધીમાં જોવા મળ્યો રોષ
X

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતા આશિષ કુમાર પટેલનું માસૂમ બાળક ઉંમર વર્ષ પાંચ બીમાર હોય અને તેને સારવાર અર્થે એક ખાનગી રીષભ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ રીષભ હોસ્પિટલના ડોકટર હેરત શાહ દ્વારા બાળકના રોગનું સાચું નિદાન થાય અને તેની સાચી સારવાર થાય તે માટે લોહીના સેમ્પલ લઈ ગોધરા વિશ્વકર્મા ચોક સ્થિત આવેલી દિશા પેથોલોજી લેબોરેટરીમાં મોકલી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા.

આ રીપોર્ટમાં દિશા પેથોલોજી લેબોરેટરી દ્વારા લોહીના સેમ્પલનો ડેન્ગ્યુ પોઝીટીવ લખી ખોટો રિપોર્ટ આપવામાં આવતા આ માસૂમ બાળકને ડોકટર દ્વારા ડેન્ગ્યુ પોઝીટીવની સારવાર ચાલુ કરવામાં આવી હતી અને આ સારવારમાં હેવી ડોઝ માસૂમ બાળકના શરીરમાં જવાને કારણે બાળકની તબિયત વધારે બગડી હતી. તેને કારણે બાળકના પિતાએ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના ડોકટરો દ્વારા માસૂમ બાળકના ફરીથી લોહીના સેમ્પલ લઈ વડોદરા ખાતે લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ લેબમાં લોહીના સેમ્પલનો રિપોર્ટ ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો હતો અને આ ડોકટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોધરા શહેરમાં આવેલી દિશા પેથોલોજી લેબોરેટરી દ્વારા ડેન્ગ્યુ પોઝીટીવનો ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાથી ગોધરાના ડોકટર દ્વારા ડેન્ગ્યુની સારવારમાં હેવી ડોઝ આપ્યા હોય તેની આડ અસરથી આ માસૂમ બાળકની તબિયત વધુ લથડવાનું સામે આવ્યું છે. જો ગોધરા શહેરમાં આવેલી લેબોરેટરી વાળાઓ ડોકટરોને તગડા કમિશન આપતા હોય અને તેને કારણે દર્દીઓને આવા ખોટા રિપોર્ટ આપવામાં આવતા હોય તો આવા રિપોર્ટને કારણે દર્દીઓ ક્યાં જશે અને કોના પર વિશ્વાસ મુકશે તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે આને લઈ ગોધરાની પ્રજામાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો.

Next Story