ગોધરા : શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના દ્વિતીય યુવક મહોત્સવ “સ્પંદન”નો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

New Update
ગોધરા : શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના દ્વિતીય યુવક મહોત્સવ “સ્પંદન”નો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના દ્વિતીય યુવક મહોત્સવ-“સ્પંદન”નો ઉદઘાટન સમારંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યુવક મહોત્સવો યુવાનોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને કળાને અભિવ્યક્ત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરુ પાડે છે. વ્યક્તિત્વ વિકાસ માટે સૌથી અગત્યનો ગણાય તેવા આ તબક્કે જો યુવાનોને યોગ્ય પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તો તેમાંથી સમાજને પ્રતિભાવાન કલાકારોની ભેટ મળી શકે તેમ છે. રાજ્યના યુવાધનના ભવિષ્યને ઉજળુ બનાવી શકે તેવી કોઈ પણ પ્રવૃતિ નાણાના અભાવે અટકી ન પડે તે માટે સરકાર કટિબધ્ધ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સર્વાંગી અને સતત વિકાસ માટે નવીનીકરણ અને સંશોધનને જીવનભર ચાલતા અભ્યાસક્રમો તરીકે લેવા જોઈએ. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તરની ઉત્તમ યુનિવર્સિટી બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકારે નવીન ભવન માટે બજેટમાં રૂા.૧૨૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે તેમજ ૩૫ જેટલી વહીવટી જગ્યાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ૧૪૨ જેટલી કોલેજોના ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જેમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેવો આ યુવક મહોત્સવ વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી ક્ષમતાઓને ઓળખવા, નિખારવા અને એક નવી ઉંચાઈએ લઈ જવામાં મદદ કરશે.

યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાલયો-મહાવિદ્યાલયો જ્ઞાનના તીર્થ છે. તેમણે યુવક મહોત્સવ જેવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાના યુનિવર્સિટી અને પ્રાધ્યપકોના પ્રયાસની સરાહના કરતા જણાવ્યું હતું કે આ જિલ્લાઓના વિદ્યાર્થીઓ આજ્ઞાપાલન અને અનુશાસન માટે રાજ્યભરમાં વખણાય છે અને આ જ બાબત તેમને રમત-ગમત સહિતના ક્ષેત્રોમાં અગ્રેસર બનાવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના મુખપત્ર ‘ઉપક્રમ’ તેમજ સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દાતાઓ દ્વારા યુનિવર્સિટી દ્વારા અપાતા ગોલ્ડ મેડલ્સ માટે પણ દાન આપવામાં આવ્યું હતું.

આ યુવક મહોત્સવના ઉદઘાટન સમારંભમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ સહિતના મહાનુભાવો અને આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ