ગોવાના કોંગ્રેસી નેતા પક્ષ ને કરશે બાય બાય, ભાજપ થામશે હાથ !!!

New Update
ગોવાના કોંગ્રેસી નેતા પક્ષ ને કરશે બાય બાય, ભાજપ થામશે હાથ !!!

મંગળવારે ગોવા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય મૌવીન ગોદીન્હોએ જણાવ્યુ હતુ કે તેઓ 16મી ડિસેમ્બરે કોંગ્રેસમાં થી રાજીનામુ આપી જે તે દિવસે ભાજપમાં ઔપચારિક પ્રવેશ કરશે.

ગોદીન્હોએ પક્ષ છોડવાનું કારણ જણાવતા કહ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષમાં પક્ષના વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવે છે.

ઉલ્લેખીય છે કે હાલ ભારત સરકારના રક્ષા પ્રધાન અને તત્કાલીન ગોવાના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન મનોહર પારિકરે ગોદીન્હોની કરોડો રૂપિયાની ઉર્જા કૌભાંડમાં ધરપકડ પણ કરી હતી. બે વર્ષ અગાઉ કોંગ્રેસ પક્ષે ગોદીન્હો ને પક્ષ વિરોધી કાર્યો કરવાના આક્ષેપો કરી પોતાના થી દૂર કર્યા હતા.

ગોદીન્હો જે બેઠેક પરથી ચૂંટાય છે એ ખુબજ મહત્વની ગણવામાં આવે છે સાથે સાથે ભાજપ અને તેનો સાથી પક્ષ MJP બંને પોતાનો દાવો આ બેઠક પર કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ગોવાના મુખય પ્રધાન પાર્સેકરે કેબિનેટેમાંથી પોતાના સાથી પક્ષ( MJP) મહારાષ્ટ્ર ગોમાંતક પક્ષના બે પ્રધાનોની પોતાના પદનો દુરુપયોગ કરવા બદલ ઝાટકણી કાઢી બરતરફ કરવામાં આવ્યા છે.

Read the Next Article

હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

New Update
Jairam Thakur

હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે સોમવારે (28 જુલાઈ) દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. જયરામ ઠાકુરે પીએમને મળ્યા અને તેમને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

જયરામ ઠાકુરે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહ્યું કે આ આપત્તિમાં લોકોના ઘરો જ નહીં પરંતુ તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે, હવે તેમની પાસે ઘર બનાવવા માટે પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં, અમે તેમને જમીન આપવા માટે 'વન સંરક્ષણ કાયદા'માં છૂટછાટ આપવા વિનંતી કરી. ઉપરાંત, અમે પુનર્વસન અને પુનર્નિર્માણ માટે 'વિસ્તાર વિશિષ્ટ' રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીને હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોના કારણોનો અભ્યાસ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય. આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ સહયોગ આપવા બદલ પ્રધાનમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો.

Latest Stories