જાત-જાતનાં લોકો અને ભાત-ભાતનાં લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયુ છે, પીએમ નરેન્દ્ર મોદી

New Update
જાત-જાતનાં લોકો અને ભાત-ભાતનાં લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયુ છે, પીએમ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક જ દિવસમાં કચ્છ, રાજકોટ, અમરેલીમાં જાહેરસભાઓ સંબોધી હતી. પીએમ મોદીએ કચ્છ આશાપુરા માતાનાં મઢથી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મા આશાપુરાની પૂજા અને આરતી કરી વડાપ્રધાન મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકોને મળ્યા હતા.

ત્યારબાદ ભુજનાં સભાસ્થળ ખાતે ભાજપનાં અગ્રણી નેતાઓની ઉપસ્થિતીમાં પીએમ મોદીનું આગવી ઢબે સ્વાગત કરાયું હતુ. વડાપ્રધાનનું કચ્છી સાલ અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. મોદીએ આ તકે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર કિચડ ઉછાળનાર કોંગ્રેસનો આભાર માની કહ્યું હતુ કે કિચડ કમળને ખીલવામાં મદદ કરશે.વધુમાં તેઓએ જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. તેમજ કોંગ્રેસ વંશવાદની રાજનીતિ રમતુ હોવાનું જણાવ્યું હતુ.

ભુજ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસદણ ખાતે પણ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે હુંકાર કર્યો હતો કે 2 મહિનાથી ગુજરાતમાં કોંગ્રેસે ચરિત્ર ગુમાવ્યું છે, કોંગ્રેસે ગુજરાતમાં 4 પાટીદાર CMને શાંતિથી બેસવા નથી દીધા.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.