Connect Gujarat
ગુજરાત

જામનગરમાં મકાન ધરાશાયીમાં ત્રણ ના મોત થતાં જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું

જામનગરમાં મકાન ધરાશાયીમાં ત્રણ ના મોત થતાં જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું
X

જામનગરમાં દેવ ચોકમા ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે અને કર્ણદેવ સિંહ દ્વારા તમામ ત્રણ મુતકના પરિજનોને અગિયાર અગિયાર હજારના ચેક આપી મદદ કરી છે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવામાં આવે તેમજ આજુબાજુના મકાનોને નુકસાન થયું છે તેને પણ સહાય આપવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કર્ણદેવ સિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે

જામનગરમાં ગત તારીખ 17 ના રોજ દેવુભા ચોક વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અનવરભાઈ દાઉદભાઈ,મોહન લવજીભાઈ રાઠોડ, અશોક પરસોત્તમભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું જામનગર મહાનગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનામાં અવસાન પામેલા પરિવારજનોને કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી તેમ જ રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવી નથી સાથે સાથે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જામનગર મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા ફરજમાં બેદરકારી દાખવી હોવાથી એક વ્યક્તિનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન કલાકો સુધી બંધ રાખતા કાટમાળમાં ફસાયેલા મોહનભાઈ રવજીભાઈ રાઠોડનું ગુંગળામણને કારણે મોત નિપજયું હોવાનો આક્ષેપ થયો છે આ આવેદન આપતા પહેલા જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ કર્ણદેવ સિંહ દ્વારા મકાન ધરાશાયી થયાના કાટમાળ માં મૃત પામેલા ત્રણેય મૃતક ના પરિવારજનોને રૂપિયા અગિયાર હજાર નો ચેક આપી સહાય કરી હતી

Next Story