જામનગર : 8 વર્ષની બાળા પર દુષ્કર્મ મામલે કોર્ટનો ચુકાદો, પોસ્કો કલમ હેઠળ આચાર્યને 14 વર્ષની સજા

New Update
જામનગર : 8 વર્ષની બાળા પર દુષ્કર્મ મામલે કોર્ટનો ચુકાદો, પોસ્કો  કલમ હેઠળ આચાર્યને 14 વર્ષની સજા

જામનગરમાં હજુ બે દિવસ પહેલા જ દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અને આજે વધુ એક કેસમાં પોકસો અદાલતે જીજસ ક્રાઇટ્સ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ ગવઈને તકસીરવાન ઠેરવી 14 વર્ષની સજા ફટકારી છે તથા રૂપિયા 25 હજાર નો દંડ કર્યો છે.

જામનગર પોક્સો કોર્ટે અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ ૨૦૧૬ ના દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી, જે બાદ આજે એક નરાધમ એવા સ્કુલના પ્રિન્સીપાલને પણ કોર્ટે ૧૪ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે. ગોકુલનગર જીજસ ક્રાઇસ્ટ સ્કુલના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ ડેનીયલ આનંદરાય ગવઈ એ આઠ વર્ષની અને ચોથા ધોરણમાં આજ સ્કુલમાં અભ્યાસ કરતી બાળાને શારીરીક આડપલા અને દૂષકૃત્ય કર્યું હતું .આ ચકચારી કેસમાં ૧૫ જેટલા ગવાહો અને દસ્તાવેજી પુરાવોઓ ભોગબનનાર અને તેના માતા-પિતા ના નિવેદન લેવામાં આવ્યા હતા, અને ડૉક્ટરની જુબાનીથી કેસને સમર્થન મળ્યું હતું. જેથી જામનગર પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી કલમ ૩૫૪ માં ૩ વર્ષ અને ૫૦,૦૦૦/-દંડ,પોકસોની કલમ ૮ માં ૫ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડ પોકસોની કલમ ૧૦ માં ૬ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડની સજાનો હુકમ એડી.સેશન્સ કોર્ટે કર્યો હતો. જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટટ, ધવલ વજાણી અને વીથ પીપી માં હર્ષદ ભટ્ટ રોકાયેલ હતા.

Latest Stories